શું તમે paytm માં વાપરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે છે. જાણો paytm ની કઈ કઈ સુવિધાઓ બંધ થઈ જશે અને કઈ શરૂ રહેશે.
![](https://kaisekyakare.net/wp-content/uploads/2024/02/images-19.jpeg)
ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ બેંક ને માર્ચ 2022 થી નવા યુઝર્સ એડ કરવાની મનાઈ ફરમાવી હતી અને બેંકને જાણવા મળ્યું કે બેંકે તેમના બેંક ગાઈડલાઈન નું પાલન કર્યું નથી જેથી ભારતીય રિઝર્વ બેંકે બુધવારે પેટીએમ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે અને વધારાના અનેક નિયમો લાધ્યા છે સેન્ટ્રલ બેન્કની કાર્યવાહી બાદ ઘણા પેટીએમ યુઝર્સ ચિંતિત છે rbi એ ઘણી બેન્ક સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી વપરાશ કરતા ઓની ચિંતામાં વધારો થયો છે તેઓને કઈ સેવાઓ મળશે અને કઈ સેવાઓ બંધ થશે તેના વિશે જાણવા આતુર છે તો ચાલો જાણીએ પેટીએમ યુઝર્સ માટે કઈ કઈ સેવાઓ શરૂ રહેશે અને કઈ સેવાઓ બંધ થઈ જશે. આરબીઆઈ એ પી.પી.બી.એલ ની તમામ સેવાઓ પર નવી ડિપોઝિટ અને ક્રેડિટર ટ્રાન્જેક્શન પર પ્રતિબંધો મૂકી દીધો છે
સામાન્ય યુઝર્સ પર કેવી અસર થશે
આરબીઆઈની આ ગાઈડલાઈન પછી ઘણા યુઝર્સ ચેન્નતી તો છે કે તેમના paytm એકાઉન્ટ નું શું થશે આ બાબતને થોડી સરળ ભાષામાં સમજવાની જરૂર છે જો તમારું ખાતું પેટીએમ બેંકમાં છે તો આ ચોક્કસપણે તમારા માટે ચિંતા નો વિષય છે જોકે આરબીઆઇએ આદેશ આપ્યો છે કે ગ્રાહકોને કોઈપણ પ્રતિબંધ વિના paytm બેંકમાંથી તેમના પૈસા ઉપાડી શકે છે
આ ઉપરાંત ફાસ્ટેગ બંધ થઈ જશે આ સિવાય તમે પેટીએમ પરથી ફાસ્ટ રિચાર્જ કરી શકશો નહીં
તમને જણાવી દઈએ કે જો તમે 31 જાન્યુઆરી સુધીમાં તમારું કેવાયસી અપડેટ કર્યું નથી તો પણ તમે પેટીએમ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરી શકશો નહીં
જો paytm બેંક તરફથી કોઈ emi અથવા સ્ટેટમેન્ટ પેન્ડિંગ હોય તો સારું રહેશે કે તેને જલ્દીથી ક્લિયર કરી લો
તમે paytm માં બેંક ખાતામાં કોઈપણ વ્યવહારો કરી શકશો નહીં
ન તો તમે પેટીએમ વોલેટ રિચાર્જ કરી શકશો કે ન તો તમે ગિફ્ટ કાર્ડ મોકલી શકશો
તેનો ઉપયોગ યુપીઆઈ પેમેન્ટ માટે થઈ શકે છે જોકે આ માટે તમારે એકાઉન્ટ પેટીએમ બેંકમાં નહીં પણ અન્ય બેંકોમાં હોવું જોઈએ